Posts

માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીની ત્રિનિદાદ અને ટોબેગોની મુલાકાત: સાંસ્કૃતિક અને રાજનૈતિક સંબંધોની નવી શરૂઆત

Image
      માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીની ત્રિનિદાદ અને ટોબેગોની મુલાકાત: સાંસ્કૃતિક અને રાજનૈતિક સંબંધોની નવી શરૂઆત 3થી 4 જુલાઈ, 2025 દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ત્રિનિદાદ અને ટોબેગોની ઐતિહાસિક મુલાકાત લીધી, જે 1999 પછી ભારતીય વડાપ્રધાનની પ્રથમ દ્વિપક્ષીય મુલાકાત હતી. આ મુલાકાત પાંચ દેશોના પ્રવાસનો ભાગ હતી, જેમાં મોદીએ ત્રિનિદાદના વડાપ્રધાન કમલા પરસાદ-બિસેસરને સંગમ અને સરયૂ નદીનું પવિત્ર જળ તેમજ અયોધ્યાના રામ મંદિરની પ્રતિકૃતિ ભેટ આપી. આ ભેટો ભારત અને ત્રિનિદાદના સાંસ્કૃતિક જોડાણને દર્શાવે છે, ખાસ કરીને ત્યાંની 35%થી વધુ ભારતીય મૂળની વસતીને ધ્યાનમાં રાખીને.  પોર્ટ ઓફ સ્પેનમાં મોદીનું ભવ્ય સ્વાગત થયું, જ્યાં કમલા પરસાદે પરંપરાગત ભારતીય પોશાકમાં તેમનું અભિવાદન કર્યું. મોદીએ ભારતીય ડાયસ્પોરાને સંબોધન કરી, છઠ્ઠી પેઢીના ભારતીય મૂળના નાગરિકોને OCI કાર્ડ આપવાની જાહેરાત કરી. તેમણે ભોજપુરી ચૌતાલ પ્રદર્શનનો આનંદ માણ્યો અને સોહરી પર્ણ પર ભોજન લીધું, જે ભારતીય મૂળના લોકો માટે સાંસ્કૃતિક મહત્વ ધરાવે છે.   આ મુલાકાતમાં બંને નેતાઓએ વેપાર, ઉર્જા, આરોગ્ય અને સુ...

વડાપ્રધાનશ્રી મોદીને ડોમિનિકાનું સર્વોચ્ચ નાગરિક સન્માન

Image
    વડાપ્રધાનશ્રી મોદીને ડોમિનિકાનું સર્વોચ્ચ નાગરિક સન્માન ડોમિનિકા સરકારે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પોતાના દેશના સર્વોચ્ચ નાગરિક સન્માનથી સન્માનિત કરવાનો નિર્ણય લીધો છે.  આ સન્માન તેમને 19-21 નવેમ્બર 2024 દરમિયાન જ્યોર્જટાઉન, ગયાનામાં યોજાનારી ઇન્ડિયા-કેરીકોમ સમિટમાં આપવામાં આવશે. ડોમિનિકાના રાષ્ટ્રપતિ સિલ્વેની બર્ટન આ સન્માન વડાપ્રધાન મોદીને આપશે. ડોમિનિકા માટે વડાપ્રધાન મોદીની સહાય વિશેષ મહત્વની રહી છે, જેમાં ફેબ્રુઆરી 2021 દરમિયાન ભારતે ડોમિનિકાને એસ્ટ્રાઝેનેકાના 70,000 ડોઝ રસી સહાય રૂપે આપ્યા હતા. આ ઉપરાંત, ભારતે સ્વાસ્થ્ય, શિક્ષણ, અને આઈટી ક્ષેત્રે પણ ડોમિનિકાને સહાય કરી છે અને જળવાયુ પરિવર્તન સામેની લડતમાં મદદરૂપ થયું છે. વડા પ્રધાન સ્કિરિટ કહે છે કે, "આ પુરસ્કાર ડોમિનિકા અને વિશાળ ક્ષેત્ર સાથે વડા પ્રધાન મોદીની એકતા માટે ડોમિનિકાની કૃતજ્ઞતાની અભિવ્યક્તિ છે." "વડાપ્રધાન મોદી ડોમિનિકાના સાચા ભાગીદાર રહ્યા છે, ખાસ કરીને વૈશ્વિક સ્વાસ્થ્ય કટોકટી દરમિયાન અમારી જરૂરિયાતના સમયે. તેમના સમર્થન માટે અમારા કૃતજ્ઞતાના પ્રતીક તરીકે અને તેના પ્રતિબિંબ તરીકે ડોમિનિકાના ...

મહેસાણા જિલ્લાના રામેશ્વર મહાદેવ મંદિરમાં 250 કિલો ઘંટનું અનાવરણ

Image
 મહેસાણા જિલ્લાના રામેશ્વર મહાદેવ મંદિરમાં 250 કિલો ઘંટનું અનાવરણ માનનીય મુખ્યમંત્રીશ્રી  ભૂપેન્દ્રભાઈ પટેલ મહેસાણા જિલ્લાના ગુંછળી ખાતે રામેશ્વર મહાદેવ મંદિરે મહારુદ્રી યજ્ઞ અને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ઉપસ્થિત રહ્યા. આ અવસરે મુખ્યમંત્રીશ્રીએ મંદિર પરિસરમાં લગભગ 250 કિલો વજનના વિશાળ અને અલૌકિક ઘંટનું અનાવરણ કર્યું, જે મહત્વપૂર્ણ ધાર્મિક ઉલ્લાસનો ભાગ બન્યું.

મહેસાણા ખાતે આયોજિત 'રન ફોર યુનિટી' દોડ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું.

Image
 મહેસાણા ખાતે આયોજિત 'રન ફોર યુનિટી'  દોડ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું. एक दौड़ देश की एकता के नाम 🏃🇮🇳 અખંડ ભારતના ઘડવૈયા, લોહપુરુષ અને ભારત રત્ન સરદાર વલ્લભભાઈ પટેલજીની જન્મજયંતી રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે મહેસાણા ખાતે આયોજિત 'રન ફોર યુનિટી'  દોડ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું જેમાં મંત્રી શ્રી મુકેશભાઈ પટેલે લીલી ઝંડી બતાવી પ્રારંભ કરાવ્યો હતો અને દોડવીરોને પ્રોત્સાહિત કર્યા હતા.    આ અવસરે, દેશની એકતા, અખંડિતતા અને સુરક્ષા કાયમ રાખવા માટે સમર્પિત થવા માટેના રાષ્ટ્રીય એકતા શપથ લીધા.  ભારતને એક અખંડ રાષ્ટ્ર બનાવવા માટે સરદાર સાહેબે અનન્ય પુરુષાર્થ કર્યો હતો. સ્ટેચ્યુ ઓફ યુનિટીના માધ્યમથી દેશે તેમને વિરાટ શ્રદ્ધાંજલિ આપી છે.  #RunForUnity

મહેસાણા : જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મહેસાણા દૂધસાગર ડેરીના ગેટ ખાતે રન ફોર યુનિટી કાર્યક્રમનું આયોજન કરાયું.

Image
મહેસાણા : જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મહેસાણા દૂધસાગર ડેરીના ગેટ ખાતે રન ફોર યુનિટી કાર્યક્રમનું આયોજન કરાયું. સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે રાષ્ટ્રીય એકતા દિનની ઉજવણી કરવામાં આવે છે. જેના ભાગરૂપે આજ રોજ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મહેસાણા દૂધસાગર ડેરીના ગેટ ખાતે રન ફોર યુનિટી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં ઉપસ્થિત સૌએ એકતા શપથ લીધા હતા. Collector & DM  Mehsana DDO Mehsana

વિકસિત મહેસાણા કોનક્લેવ: ઔદ્યોગિક વિકાસ અને કૃષિ સુધારણા માટેના પ્રયત્નો

Image
 વિકસિત મહેસાણા કોનક્લેવ: ઔદ્યોગિક વિકાસ અને કૃષિ સુધારણા માટેના પ્રયત્નો વિકસિત મહેસાણા કોનક્લેવ" મહેસાણા જિલ્લામાં માળખાકીય વિકાસ, ઔદ્યોગિક વિસ્તરણ અને વિવિધ આર્થિક ક્ષેત્રોના વિકાસને પ્રોત્સાહન આપવા માટે મહેસાણા જિલ્લા વહીવટી તંત્ર અને પશ્ચિમ રેલવે અમદાવાદ વિભાગ દ્વારા આયોજિત કાર્યક્રમ છે. આ કોનક્લેવમાં રાજ્યના કેબિનેટ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂત અને મંત્રી મુકેશભાઈ પટેલે હાજરી આપી, મહેસાણાના માળખાકીય વિકાસ અને આર્થિક વૃદ્ધિના મૂલ્યો અંગે ચર્ચા કરી.      આ કોનક્લેવમાં મહેસાણાની નવીનતા માળખાકીય વિકાસ અને ઔદ્યોગિક વિસ્તરણની ચર્ચા તેમજ મહેસાણાના સમૃદ્ધ ક્ષેત્રો જેમ કે કૃષિ ઉત્પાદન અને સેવાઓ આ ધ્યેયને વધારવા અને તેમાં યોગદાન આપવાની તેમની સંભવિતતાના સંદર્ભમાં પણ ચર્ચા કરવામાં આવી. આ ઉપરાંત લોજિસ્ટિક્સ અને માળખાકીય વિકાસ, નિવેશની તકો અને ઔદ્યોગિક વૃદ્ધિ, કૃષિ અને ડેરીના સુધારા તેમજ નવીનતા અને સ્ટાર્ટઅપ સહિતના વિષયો સંદર્ભે ચર્ચા થઈ.       આ કાર્યક્રમમાં સાંસદશ્રી હરિભાઈ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ તૃષાબેન પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી ગીરીશભાઈ રાજગોર, મહે...

શાળા પ્રવાસ અંગે શિક્ષણ વિભાગ દ્વારા નવી ગાઇડલાઇન જાહેર કરાઈ...

 શાળા પ્રવાસ અંગે શિક્ષણ વિભાગ દ્વારા નવી ગાઇડલાઇન જાહેર કરાઈ... શાળા પ્રવાસ અંગે શિક્ષણ વિભાગ દ્વારા નવી ગાઇડલાઇન જાહેર કરાઈ... #SchoolTour #NewRule #EducationDepartment #Gujarat #SOP #SchoolTourSOP #GujaratGovernment pic.twitter.com/enND3FCRAC — Gujarat Information (@InfoGujarat) October 24, 2024